રા નવઘણ - જુનાગઠ નો ધણી । બહુચરાજી માતા મંડળ રોયલ

Subscribers:
462,000
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=oF-QcSJSJD8



Duration: 2:42:44
1,281 views
36


રા' નવઘણ જુનાગઢનો રાજા હતો. એવી લોકવાયકા છે કે તે તેની માના ઉદરમાં નવ ચોમાસાં(ઘન) એટલે કે નવ વર્ષ રહ્યો હતો, તેથી તેનું નામ નવઘણ પડ્યું[૧]. તે ચુડાસમા રાજા રા' દિયાસનો પુત્ર હતો. તેણે જુનાગઢના વનસ્થલી (વંથલી) પર ઇસ. ૧૦૨૫થી ૧૦૪૪ સુધી રાજ કર્યું હતું. પાટણના રાજા દુર્લભસેન સોલંકીએ જુનાગઢ પર ચડાઈ કરી અને તેમાં રા' દિયાસનો પરાજય થતા, રા' નવઘણની માતા રાણી સોમલ દે સતી થઈ અને તેની દાસી વાલબાઈ છૂપા વેશે નવઘણને લઈ જઈને ચુડાસમા રાજના વફાદાર એવા દેવાયત બોદર નામના આહિરના ઘેર ઉછેર્યો હતો.[૨]. સોલંકી રાજાએ રા' દિયાસના એકના એક પુત્રને મારી નાખીને તેનો વંશ ખતમ કરવાના ઇરાદાથી તેના સૈન્યને એ કુંવરને શોધી લાવવા મોકલ્યું હતું. સિપાઈઓ શોધતા-શોધતા દેવાયતના ઘરે પહોંચ્યા. જ્યાં આહિર અને આહિરાણીએ પોતાના સગા દિકરા વાસણ(ઉગા)નું બલિદાન આપીને રા' નવઘણને બચાવ્યો હતો #navratri #gujarat